કબજિયાત
- અજમો અને સોનમુખીનું ચૂર્ણ હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
- મગના સૂપમાં સંચળ નાખી એક બે કપ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.
- પાકા ટામેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.
- નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.
- રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે.
- લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
- જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હિમેજ ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.
- રાત્રે સૂતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે. અજમાના ચૂર્ણમાં સંચળ નાખી ફાકવાથી કબજિયાત મટે છે.
- તુલસીના ઉકાળામાં સિંધવ અને સૂંઠ મેળવી ફાકવાથી કબજિયાત મટે છે.
- જાયફળ લીંબુના રસમાં ધસીને તે ઘસારો લેવાથી કબજિયાત મટે છે.
- કાંદાને ગરમ રાખમાં શેકી સવારે ખાવાથી કબજિયાત મટે છે. અને શક્તિ આવે છે.
- દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરિયાળી ફાકવાથી કબજિયાત દૂર થાય છે.
Realtive words :
कोई टिप्पणी नहीं: